Investment સરકારી યોજનાઓ

આ Post Office Scheme તમને આપશે 8.2% નુ જંગી વ્યાજ, તો આજે જ રોકાણ કરો અને તમારૂ ભવિષ્ય સુરક્ષિત કરો

Post Office Scheme for women and elders
Written by Gujarat Info Hub

Post Office Scheme: મિત્રો, દરેક વ્યક્તિને આજના સમયમાં પોતાના રોકાણની રકમ ખાસ કરીને 2 વખત વધુ જરુર રહેતી હોય છે. જેમાં પહેલા પોતાની પુત્રીના ભણતરથી લઈને તેના લગ્ન થાય ત્યાં સુધી ચિંતા રહેતી હોય છે. અને જ્યારે કોઇપણ વ્યક્તી રીટાઈડ થાય ત્યારે પોતાને સારુ વળતર મળે તેવી ઈચ્છા ધરાવતો હોય છે. જેથી કરીને તે વ્યક્તિ કિઈપણ આર્થિક સમસ્યા વિના આગલનું સુખી જિવન આરામથી જિવી શકે.

આવી સ્થિતીમાં તે જરૂરી છે કે કોઇપણ વ્યક્તિ જો સારી યોજનામાં પૈસાનુ6 રોકાણ કરેલ હોય અને તેના પૈસા સંપુર્ણપને સુરક્ષિત હોય તો તે તેમની જિદગી આરામ દાયક નિકળી શકે છે. તો આજે આપને અહિં પોસ્ટ ઓફિસની ૨ માન્યાતા વાળી યોજના વિશે માહિતી મેલવિશું જેની મદદથી સુરક્ષિત રોકાણ સાથે વ્યકતિને સારુ એવુ રીટર્ન પણ મળી રહે. તો આવો જાણીએ આ બન્ને પોસ્ટ ઓફિસ સ્કિમ વિશે સંપુર્ણઁ માહિતી.

સુકન્યા સમૃદ્ધિ યોજના

સરકાર દ્વારા દેશની દરેક દિકરીના ભવિષ્ય અને શક્ષણિક રીતે સધ્ધર બન્ને તે ધ્યાને લઈને આ યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજના માટે કોઇપણ વ્યુક્તિ પોતાની દિકરીના નામે ૧૫ વર્ષ માટે પૈસા જમા કરવાના રહે છે. જેમાં જ્યારે દિકરીની ઉમર ૧૦ વર્ષથી ઓછી હોય ત્યારથી રોકાણ કરવાની શરૂઆત કરી શકો છો અને આ સ્કિમમાં ૧૫ વર્ષ સુધી પૈસા જમા કરવાના રહે છે. જ્યારે દિકરીની ઉમર ૨૧ વર્ષની થાય ત્યારે તેને મેચ્યોરીટી સમયે તમારી રોકાણની રકમ ડબલથી પણ વધુ થશે. તો ચાલો સમજીએ યોજનાની ગણતરી.

આ પણ વાંચો:-RTE Admission Form 2024: RTE હેઠળ ધોરણ 1 માં પ્રવેશ મેળવવા માંગતા વિધાર્થીઓ માટે એડ્મીશન કાર્યક્રમ ડિકલેર

આ યોજનામાં તમે વાર્ષિક રોકાણ ૨૫૦ રૂપિયાથી ચાલુ કરી શકો છો અને વધુમાં વધુ રોકાણ ૧.૫૦ લાખ રુપિયા સુધી કરી શકો છો. અત્યારે આ સ્કિમના વળતરની વાત કરઈ તો તમારા રોકાણ પર તમને ૮.૨% નુ વ્યાજદર મળે છે. તો જો તમે વાર્ષિક ૧.૫૦ લાખનું રોકાણ ૧૫ વર્ષ માટે કરો છો તમને તમારી દિકરીના ૨૧ વર્ષની ઉમરે કુલ 69,27,578 રૂપિયા મળશે. અને આટલું વળતર બીજી કોઇપણ યોજનામાં જોયુ નહી હોય. તો મિત્રો જલ્દીથી સરકારની આ સ્કિમનો લાભ લો અને ચાલો જાણીએ બીજી યોજના વિશે…

વરિષ્ઠ નાગરિક બચત યોજના

નિવુર્તિ પછી દરેક નાગરિક પોતાની જીદગી આરામથી પેન્શન પર ગુજરવાની ઈચ્છા ધરાવતો હોય છે. તે ધ્યાનમાં લઈને પોસ્ટ ઓફિસ દ્વારા વરિષ્ઠ નાગરિક બચત યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનામં ૩૦ લાખ સુધીનું રોકાણ કરી શકાય છે. તે રોકાણ પર પોસ્ટ ઓફીસ તમને ૮.૨% દરે વ્યાજ આપે છે. જો તમે આ યોજનામાં ૫ વર્ષ માટે રોકાણ કરો છો તમને વ્યાજની રકમ સાથે કુલ ૪૨ લાખ ૩૦ હજાર રુપીયા મળે છે.

તો મિત્રો આજે આપણે પોસ્ટ ઓફિસની ૨ અગત્યની યોજના વિશે માહિતી મેળવી જેની મદદથી તમે તમારુ અને તમારા પરિવારનું ભવિષ્ય સુરક્ષિત કરી શકો છો. આવી વધુ રોકાણની માહિતી મેળવવી હોય તો અમને કોમેન્ટ કરી તમારો અભિપ્રાય જણાવજો જેથી અમે તમારી સાથે વધુ માહીતી પ્રદાન કરી શકીએ. આભાર.

આ પણ વાંચો:-Police Housing Corporation Bharti – પોલીસ આવાસ નિગમ લિ માં ભરતી, જાણો જગ્યાઓની વિગતવાર માહિતી

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment